૪ દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગો ઉપર હરતા-ફરતા કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા દાતા શ્રી મહેતા મોહનલાલ ભગવાનજી પરિવાર હસ્તે રમાબેન સીરીશ મહેતા દ્વારા ૩ તથા રશ્મીબેન અનીલ મહેતા વર્ધમાનનગર-કચ્છ દ્વારા ૧ મળી ૪ દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરવાનો કાર્યક્રમ વર્ધમાનનગરનાં આગેવાન શ્રી કે.સી. શાહનાં અધ્યક્ષપદે તથા નગર સેવક માલશીં નામોરી, હોમીયોપેથી ડો. પ્રતીક્ષાબેન પવાર, પૃથ્વીરાજસિંહ જાડેજા, મુળજીભાઇ ઠક્કર, જેરામભાઇ સુતાર,રસીકભાઇ ઠક્કર, કનૈયાલાલ અબોટી, પ્રવિણ ભદ્રાનાં અતિથિવિશેષપદે માનવજ્યોત કાર્યાલય ભુજ મધ્યે યોજાયો હતો.

પ્રારંભે સંસ્થાનાં મંત્રી સુરેશભાઇ માહેશ્વરીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. સંસ્થાના અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનવરે પ્રસંગ પરિચય આપતાં જણાવ્યું હતું કે,દાતાશ્રીઓનાં સહયોગથી સંસ્થાએ અત્યાર સુધીમાં ૩૧૨ દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગો ઉપર હરતા ફરતા કર્યા છે. દાતાશ્રીઓનાં સહયોગથી આ કાર્ય આગળ ધપી રહ્યું છે.

આ પ્રસંગે દાતા પરિવારનાં વીપીનભાઇ એમ. મહેતાનું સંસ્થા દ્વારા બહુમાન કરી તેઓશ્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન શંભુભાઇ જાષીએ તથા આભાર દર્શન રફીક બાવાએ કરેલ. વ્યવસ્થામાં દિપેશ શાહ, આનંદ રાયસોની, પ્રતાપ ઠક્કર, ચમનલાલ જીવાણી,દિપેશ ભાટીયા, નીરવ મોતા, અક્ષય મોતા, પંકજ કુરવાએ સહકાર આપ્યો હતો.