શ્રી પ્રબોધ મુનવરને “અહિંસા રત્ન એવોર્ડ,, અર્પણ કરાયો

શ્રી કચ્છ નરેડી વિસા ઓસવાલ દેરાવાસી જૈન મહાજન તથા “અહિંસા મહાસંઘ,, મુંબઇ – ગુજરાત દ્વારા અહિંસા મહાસંઘના રજત વર્ષે તથા પ.પૂ.આ.ભ. શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ.સા. ના સંયમ સુવર્ણ વર્ષ ચાતુર્માસ પ્રસંગે અહિંસા-પ્રાણીરક્ષા, માનસેવા, જીવદયા ક્ષેત્રે ખૂબજ પ્રશંસનીય, અનુમોદનીય, નિઃસ્વાર્થ સેવાઓ પ્રદાન કરનાર ૧૨ વ્યÂક્તઓને પ.પૂ.આ.ભ. શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ.સા. તથા શ્રી મુનિભગવંતોની શુભ પાવન નિશ્રામાં “અહિંસા રત્ન એવોર્ડ,, અર્પણ કરવામાં આવેલ. મુળ કચ્છ કોઠારાનાં હાલે ભુજ નજીક વર્ધમાનનગર-કચ્છ મધ્યે રહેતા શ્રી પ્રબોધ હીરાચંદ મુનવરને રાજ્યમંત્રી શ્રી વાસણભાઇ આહિર, પૂર્વ  રાજ્યમંત્રી શ્રી તારાચંદભાઇ છેડાનાં વરદ્‌ હસ્તે “અહિંસારત્ન એવોર્ડ,, અર્પણ કરવામાં આવેલ. શ્રી પ્રબોધ મુનવરની માનવ સેવા જીવદયા તથા પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓની નોંધ લઇ કાર્યને બિરદાવવામાં આવેલ. કચ્છનાં દરેક ગામો-શહેરોમાં પક્ષીઓ માટે પાણી પીવાનાં માટીનાં કુંડા તથા ચકલીઓ માટે રહેવાનાં માટીનાં સુરક્ષિત ચકલીઘર લટકતા જાવા મળે છે. તેમજ ગાય માતાઓ તથા પશુઓ માટે પાણી પીવાની સિમેન્ટની કુંડીઓ ઠેર-ઠેર ગોઠવી છે. તરસ્યા પશુ-પક્ષીઓને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવા પાણી મળ્યું છે. શ્રી મુનવરે આ દિશામાં છેલ્લા ૧૫ વર્ષથી કરેલ કાર્યને સફળતા મળી છે.
આ પ્રસંગે અબડાસા વિસ્તારનાં ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, અબડાસા તાલુકા પંચાયત અધ્યક્ષ આજબાઇ ગોરડીયા, નરેડી મહાજન શ્રી અધ્યક્ષ શ્રી નાનજીભાઇ નાગડા, ટ્રસ્ટી ખુશાલભાઇ કારાણી તથા સર્વે ટ્રસ્ટી ગણ અને આમંત્રિત મહેમાનો તથા ભાઇ-બહેનો વિશાળ સંખ્યામાં ઉપÂસ્થત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જયંતિભાઇ જાષી ‘શબાબે’ કર્યું હતું.