લગ્ન પ્રસંગની અનોખી ઉજવણી ૨૧ વિધવા મહિલાઓને સિવણ મશીન અર્પણ કરી પગભર કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા દાતાશ્રી સ્વ. માતુશ્રી શાંતાબેન ગોવિંદજી રાયકુંડલ પરિવારનાં સહયોગથી ચિ. પાર્થ અને ચિ. રૂચાનાં લગ્ન પ્રસંગે ૨૧ વિધવા મહિલાઓને સિવણ મશીન અર્પણ કરી પગભર કરી લગ્ન પ્રસંગની અનોખી ઉજવણી કરાઇ હતી.

માનવજ્યોત કાર્યાલય ભુજ મધ્યે યોજાયેલ કાર્યક્રમમાં દાતા પરિવારનાં મહેશભાઇ રાયકુંડલ, મયુરભાઇ રાયકુંડલ, પાર્થ, રૂચા સહિતનાં પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રારંભે શ્રી સુરેશભાઇ માહેશ્વરીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજાએ પ્રસંગ પરિચય આપ્યો હતો. માનવજ્યોત દ્વારા દાતા શ્રી પરિવારનું સન્માન કરી તેઓની અંતરની ભાવનાઓને બિરદાવવામાં આવેલ. અગ્રણી શ્રી અક્ષયભાઇ ઠક્કરે માનવજ્યોતની કચ્છ ભરમાં વિસ્તરી રહેલ માનવસેવા, જીવદયા, પર્યાવરણ પ્રવૃત્તિઓને બિરદાવી અનુમોદનીય કાર્યની પ્રસંશા કરી હતી. દાતાશ્રીઓનાં વરદ્‌ હસ્તે ૨૧ વિધવા મહિલાઓને સિવણ મશીન અર્પણ થતાં મહિલાઓએ ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરી દાતાશ્રી પરિવાર તથા માનવજ્યોત સંસ્થાનો આભાર માન્યો હતો.સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ૩૩૬ વિધવા મહિલાઓને સિવણ મશીનો આપી પગભર કરવાનાં પ્રયત્નો સફળ થયા છે. કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જ્યારે આભાર દર્શન શંભુભાઇ જાષીએ કરેલ. વ્યવસ્થામાં ભૂપેન્દ્ર બાબરીયા, દિપેશ શાહ, આનંદ રાયસોની, ગુલાબ મોતા, રફીક બાવા, નીતીન ઠક્કર, મુળજીભાઇ ઠક્કર, જેરામ સુતાર, કનૈયાલાલ અબોટી, રમેશભાઇ માહેશ્વરી, પ્રવિણ ભદ્રા, નરશીં પટેલે સહકાર આપ્યો હતો.