માનવજ્યોતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની નોંધ લઇ મુખ્યમંત્રીનાં હસ્તે સન્માન કરાયું

કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા વર્ષે સ્નેહ મિલન પ્રસંગે વિવિધ સેવાભાવીઓનું સન્માન રાજ્યનાં મુખ્યમંત્રીશ્રીનાં વરદ્‌ હસ્તે કરવામાં આવેલ.

ભુજ, ભુજ વિસ્તાર અને સમગ્ર કચ્છમાં માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની
માનવસેવા અને જીવદયાની પ્રવૃત્તિઓની રાજ્યકક્ષાએ નોંધ લેવામાં આવેલ.

માનસિક દિવ્યાંગોની સેવા, બિનવારસલાસોની અંતિમક્રિયા, ગુમ થયેલા લોકોને શોધી આપવાનું કાર્ય, બાળશ્રમયોગીઓને અક્ષરજ્ઞાન, વૃદ્ધ વડીલોને ઘેરબેઠા ટીફીન દ્વારા ભોજન, તથા પ્રસંગોપાત વધી પડેલી રસોઇ ગરીબોનાં ઝુંપડે, તેમજ કચ્છનાં ગામડે-ગામ અને શહેરોમાં કુંડા-ચકલીઘર વિતરણનું વિશાળ કાર્ય વિગેરે સેવાઓની રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશિષ્ટ નોંધ લઇ માનવજ્યોત સંસ્થાનાં પ્રબોધ મુનવરનું રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનાં વરદ્‌ હસ્તે સન્માનપત્ર અર્પણ કરી બહુમાન કરવામાં આવેલ.

આ પ્રસંગે રાજ્યના મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલ, રાજ્ય મંત્રી વાસણભાઇ આહિર, સાંસદ વિનોદભાઇ ચાવડા, જીલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, ધારાસસભ્યો ડો. નીમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રીમતિ માલતીબેન મહેશ્વરી, કચ્છ જીલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કેશભાઇ પટેલ, પુષ્પદાનભાઇ ગઢવી, તારાચંદભાઇ છેડા ઉપસ્થિત​ રહ્યા હતા.માનવજ્યોત સંસ્થા ભુજની કચ્છભરમાં ચાલી રહેલ સેવાકીય પ્રવૃત્તિઓની ખાસ નોંધ લેવામાં આવી હતી.