સીનીયર પેરાલીગલ વોલીન્ટીયર તથા માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુનવર તથા રફીક બાવાને માધાપર માર્ગ ઉપરથી એક અજાણી પ્રેગનેટ મહિલા મળી આવતાં તેની પૂછતાછ હાથ ધરી હતી. આ મહિલા કલક્તા અને મદ્રાસ બે શહેરોનાં નામ જણાવતી હતી. જેથી સંસ્થાએ ૧૮૧ મહિલા હેલ્પ લાઇનનો સંપર્ક કર્યો હતો. ૧૮૧ મહિલા હેલ્પ લાઇનનાં નીરૂપા બારડ અને રીટાબેન અસારીએ કાઉન્સીલીંગ કર્યું હતું. અને આ મહિલાને સખી વન સ્ટોપ મધ્યે રાત્રિનાં ભાગે આશ્રય અપાવ્યો હતો.
સવાર થતાં જ દુધઇ ચાન્દ્રાણી વચ્ચેનાં નવાગામમાં ચાની હોટેલ ચલાવતા રવાભાઇ રબારીનો ફોન આવ્યો હતો. તેમણે પોતની પત્ની ગુમ થયા હોવાનું સંસ્થાને જણાવતાં જ સંસ્થાએ રાતનાં ભાગે એક મહિલા મળી હોવાનું જણાવતાં જ પરિવારજનો ભુજ આવી પહોંચ્ચા હતા અને માનવજ્યોત સંસ્થાનો સંપર્ક કરી સખી વન સ્ટોપ માંથી ગુમ થયેલી મહિલાનો કબ્જા મેળવી ખુશી અનુભવી હતી.
માનવતાનાં આ કાર્યમાં માનવજ્યોત તથા સખી વન સ્ટોપનાં હેમેન્દ્ર જણસારી મદદરૂપ બન્યા હતા. આખરે આ મહિલા હેમખેમ ઘરે પહોંચતા જ પરિવારજનોએ નિરાંતનો શ્વાસ લીધો હતો.