બેલામાં મોર અને પક્ષી માટે આઘુનિક સગવડ વાળો ચબુતરો ખુલ્લો મુકાયો

એનકેટી થાણાવાલા ટ્રસ્ટના માતબર દાનથી કરાયું આયોજન

રા૫ર તાલુકાના સરહદે આવેલા બેલા ગામે એક સાથે ૨૦થી ૨૫ મોર અને ૬૦ વઘુ પક્ષીઓ મુકત ૫ણે હરી ફરી શકે અને ચણ ચણી શકે તે માટે જમીનથી ૮ ફુટ ઉચો આઘુનિક ચબુતરો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ ચબુતરામાં ખાસ લીલયાની માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૫ક્ષીઓ ચણ ચણતા હોય છે ત્યારે તેમની ચાંચને નુકશાન ન થાય તે માટે ખાસ મુલાયમ લીલયાની માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

બેલા ગામના ઘર્મેન્દ્ર મણીલાલ વોરા સહિતના આગેવાનોએ ગામમાં ચબુતરો બનાવવા માટે એન.કે.ટી. થાણાવાલા ટ્રસ્ટને રજૂઆત કરતા ટ્રસ્ટના અઘ્યક્ષ નાનજીભાઇ ખીમજી ઠકકર થાણાવાલાએ આ ચબુતરાનું નિર્માણ કરી આપ્યું હતું

ચબુતરાના ઉદઘાટન પ્રસંગે માનવ જયોતના પ્રબોઘ મુનવરે ચકલી ઘર અને ૫ક્ષીઓને પાણી પીવા માટેના કુંડાઓનું વિતરણ કર્યુ હતું અને એનકેટી ટ્રસ્ટ અને માનવ જયોતની પ્રવૃતિઓ વિશે ગામ લોકોને માહિતી આપી હતી.

એનકેટી ટ્રસ્ટના શ્રીનાનજીભાઇ ખીમીજી ઠકકરે જણાવ્યું હતું કે જીવદયાના કામ માટે કયારે ૫ણ મારી જરૂર હોય તો ગમે ત્યારે અમારી સંસ્થાને જાણ કરશો. અમારી સંસ્થા જીવદયાના કાર્યો માટે સતત પ્રયત્નશીલ રહેશે.

આ પ્રસંગે પ્રભુલાલ ઠકકર, સુરેશ ઠકકર, મહિ૫તસિંહ જાડેજા, ગામના સંત સાઘુ દેવીદાસ બાપુ સહિતના ગામ લોકો મોટીસંખ્યામાં જોડાયા હતા.

ફોટો લાઇન :
ચબુતરાને ખુલ્લો મુકતા દાતા નાનજીભાઇ થાણાવાલા, પ્રબોઘભાઇ મુનવર તેમજ અગ્રણીઓ તસવીરમાં નજરે પડે છે. (તસવીર : દર્પણ ભાટિયા)