વિદેશની ધરતી ઉપર ફિલીપાઇન્સ મધ્યે મેગ્સેસે એવોર્ડ મેળવનાર શ્રદ્ધા રીબીલીટીસન ફાઉન્ડેશનના સ્થાપક અને સંચાલક ડો. ભરતભાઇ વટવાણીએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની મુલાકાત લઇ ખુશી અનુભવી હતી.
શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે ડો. ભરતભાઇ વટવાણીનાં સન્માન સમારોહ કાર્યક્રમનું અધ્યક્ષ પદ શ્રી રામદેવ સેવાશ્રમના મુખ્ય દાતા શ્રી મહેન્દ્રભાઇ રતનશીં સંગોઇ, જયારે અતિથિવિશેષપદ ભુજ કબીર મંદિરનાં મહંત શ્રી કિશોરદાસજી સાહેબ, પાલારા રામેશ્વર મહાદેવ મંદિરનાં મહંત બુદ્ધગીરીભાઇ ગુસાઇ, શ્રદ્ધા ફાઉન્ડેશન કર્જતમાં મણીલાલભાઇ ગાલા, હસમુખભાઇ ગાંધી, દયારામ મારાજ તથા સરપંચ વાલાભાઇ આહિર તથા માવજીભાઇ આહિરે શોભાવ્યું હતું. પ્રારંભે માનવજ્યોતનાં શ્રી સુરેશભાઇ માહેશ્વરીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. પૃથ્વીરાજસિંહ જાડેજા, રમેશભાઇ માહેશ્વરીએ પ્રસંગ પરિચય આપ્યો હતો.
શ્રદ્ધા ફાઉન્ડેશન કર્જતનાં શ્રી મણીલાલભાઇ ગાલાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે, પીડામાંથી મુક્તિ અપાવવા ઇશ્વરે ફરિશ્તાઓને અહીં મોકલ્યા છે. રસ્તા પર રઝળતા, માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા, કચરાપેટીમાંથી ખાવાનું શોધતા, ગંદા પાણીનું સેવન કરતા તેમજ ધરતી જેનું બિછાનું છે અને આકાશ જેની ચાદર છે એવા મનોરોગીઓની સેવા થઇ રહી છે. સંતોની ભૂમિ કચ્છમાં સુંદર કામ થઇ રહ્યું છે.
શ્રદ્ધા ફાઉન્ડેશનનાં શ્રી દાયારામ મારાજે જણાવ્યું હતું કે, કર્જતમાં વિશાળ જમીન ઉપર આવેલ સંકુલમાં માનવતાનું કાર્ય થઇ રહ્યું છે. મનોરોગીઓની વ્યથા હું જાણું છું. ડો. વટવાણી મનોરોગીઓને પ્રેમ કરે છે. કચ્છમાં પણ મનોરોગીઓને શોધી શોધીને સારવાર અપાવી સ્વસ્થ બનાવી ઘર સુધી પહોંચાડવાનું કાર્ય થઇ રહ્યું છે. જે મહાન કાર્ય છે.
ભુજ કબીર મંદિરનાં મહંત પૂ. કિશોરદાસજી સાહેબે માનવજ્યોત અને શ્રી રામદેવ સેવાશ્રમ દ્વારા થતા કાર્યને બિરદાવ્યું હતું. દરેક મનોરોગીને માનવજીવન મળે તેઓ સ્વસ્થ બને તેવી પ્રાર્થના કરી હતી.
સરપંચ શ્રી વાલાભાઇ આહિરે માનસિક દિવ્યાંગોની સેવાને માનવતાનું મોટું કાર્ય ગણાવ્યું હતું.
ડો. ભરતભાઇ વટવાણીએ જણાવ્યું હતું કે, દેશમાં ૪ લાખથી વધુ માનસિક દિવ્યાંગો રસ્તે રઝળી રહ્યા છે. શ્રદ્ધા ફાઉન્ડેશન કર્જત દ્વારા સાત હજાર આવા મનોરોગીઓનું પુર્નવસન કરાવવામાં આવ્યું છે. આવા દર્દીઓનું દર્દ કેમ ઓછું થાય એજ અમારૂં લક્ષ છે. ૭ હજાર લોકોનું પુનઃવર્સન કર્યા પછી પણ આવા ૩.૯૩ લાખ લોકો રસ્તે રઝળે છે. જેની સતત ચિંતા સતાવે છે. એવોર્ડ અને સન્માન કયારે પણ માગ્યા નથી. સામેથી મળ્યા છે. અનેક એન.જી.ઓ. સાથે મળીને કામ કરીએ છીએ.
મનોરોગીઓને રસ્તેથી પકડી આશ્રમમાં રાખવાથી તેઓ ખુશ નથી. તેને ઘરે જવાનું છે. દરેકને માતૃભૂમિ યાદ આવે છે. આશ્રમ કે સંસ્થામાંથી તે ગામ અને ઘર સુધી પહોંચે ત્યારે આ મનોરોગીઓ અત્યંત ખુશી અનુભવે છે. આવું સુંદર કાર્ય અહીં થઇ રહ્યું છે. આ શ્રદ્ધા અને આનંદનું કાર્ય છે. મનમાં શ્રદ્ધા રાખો. આ કાર્યમાં મહિલાઓ પણ જાડાય. અમારી બધાયની વિચારધારા સાથે મળી છે, એટલે સુંદર કાર્ય થઇ રહ્યું છે.
સમારંભ અધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઇ સંગોઇએ જણાવ્યું હતું કે, કચ્છની ધરતી પર એક પણ મનોરોગી ન મળવો જાઇએએ દિશામાં કાર્ય કરીએ છીએ. મનોરોગીઓ ગોત્યા નમળે તેવું કાર્ય કરવું છે. ઘરની કોઇ વ્યક્તિ ગુમ થાય ત્યારે પરિવારની શું દશા થાય છે. એતો ઘરવારાજ જાણે છે.
આ પ્રસંગે ડો. ભરતભાઇ વટવાણીનું યાદગાર કચ્છી મોમેન્ટો અર્પણ કરી માનવજ્યોત તથા શ્રી રામદેવ સેવાશ્રમ દ્વારા સન્માન કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જયારે આભાર દર્શન શંભુલાલભાઇ જાષીએ કરેલ.
વ્યવસ્થામાં આનંદ રાયસોની, ગુલાબ મોતા, રફીક બાવા, જેરામ સુતાર, નિતીનભાઇ ઠક્કર, મુળજીભાઇ ઠક્કર, ભુપેન્દ્રભાઇ બાબરીયા, સહદેવસિંહ જાડેજા, નરશીંભાઇ પટેલ,વાલજી કોલી, મહેશભાઇ ઠક્કર, જયાબેન મુનવર તથા સરોજબેને સહકાર આપ્યો હતો.