દર્દીઓના બેલી જેઠાલાલભાઇ ઠક્કરને અંજલિ અપાઇ

માનવસેવાના ભેખધારી અને સેવાભાવી, સમાજ સેવક શ્રી જેઠાલાલભાઇ નરશીં ઠક્કરનું અચાનક અવસાન થતાં શોકનું મોજુ ફરી વળ્યું છે. કચ્છમાં યોજાતા અનેક નિદાન કેમ્પોની માહિતી જરૂરતમંદ દર્દીઓ સુધી પહોંચાડવાનું કાર્ય, નિદાન કેમ્પોમાં સેવા આપવાનું કાર્ય તથા દર્દીઓનાં રાજકોટની સત્ય સાંઇ હોસ્પીટલમાં નિઃશુલ્ક ઓપરેશન કરાવી આપવામાં તેઓ શ્રી અગ્રેસર રહ્યા હતા. કાયમી સાઇકલ ચલાવી દર્દીઓ માટે નિદાન કેમ્પો અંગેની જાણકારી, કેમ્પોનાં પેપ્લેટો ઠેરઠેર ચોટાડી પ્રચાર-પ્રસારનું કાર્ય કરતા હતા.
તેઓનાં અવસાનથી ભુજ અને સમગ્ર કચ્છવાસીઓને ન પૂરાય તેવી ખોટ પડી છે. માનવજ્યોત સંસ્થા ભુજના શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જાષી, રમેશભાઇ માહેશ્વરી, અરવિંદ ઠક્કર, રફીક બાવાએ તેઓના સેવા કાર્યોને બિરાદાવી અંજલિ આપી હતી.