ઝુંપડા અને ભૂંગાઓમાં રહેતા જરૂરતમંદ મહિલાઓ રક્ષાબંધન, સાતમ-આઠમનાં તહેવારો આનંદ-ઉમંગથી નવા વસ્ત્રો પહેરી માણી શકે તેવા ઉદેશ સાથે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દાતાશ્રી કિર્તીભાઇ વોરા સમર્પણ ભુજના સહયોગથી ૧૦૦ મહિલાઓને દરેકને સાત-સાત સાડીઓ અર્પણ કરાઇ હતી.
મહિલાઓએ ખુશી વ્યક્ત કરી હતી. વ્યવસ્થા પ્રબોધ મુનવર, નરશીંભાઇ પટેલ, કનૈયાલાલ અબોટી, દિપેશ શાહ, આનંદ રાયસોની, દિપેશ ભાટિયા, નિરવ જી. મોતાએ સંભાળી હતી.