<p>જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલિમ ભવન ભુજ-કચ્છ આયોજિત જિલ્લા કક્ષાના ચતુર્થ ઇનોવેશન ફેસ્ટીવલ-૨૦૧૮ પ્રસંગે કચ્છમાં માનવસેવા અને જીવદયાનું કાર્ય કરતા માનવજ્યોતનાં પ્રબોધ મુનવરનું વિશિષ્ટ બહુમાન કરી સન્માન પત્ર અર્પણ કરવામાં આવેલ.</p>
<p>જિલ્લા શિક્ષણ અને તાલિમ ભવન ભુજનાં પ્રાચાર્ય હસમુખભાઇ ટી. ગોર, સીનીયર વ્યાખ્યાતા સંજય પી. ઠાકર તથા અશ્વિન પી. સુથાર, ડિસ્ટ્રીકટ ઇનોવેશન સેલ કો-ઓર્ડિનેટર ડો. દક્ષાબેન જી. મહેતા નાં વરદ્ હસ્તે સન્માનપત્ર અર્પણ કરી, કચ્છભરમાં ચાલી રહેલ સેવાઓને બિરદાવવામાં આવેલ.</p>