જલારામ જયંતિ નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા શ્રી જલારામ મંદિર રવાણી ફળિયા ભુજનાં સહયોગથી ભુજ અને ભુજ વિસ્તારનાં ઝુંપડા અને ભુંગાઓમાં રહેતા ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે જલારામ બાપાનો મહાપ્રસાદ પહોંચાડવામાં આવ્યો હતો. અનેક ગરીબો અને શ્રમજીવીકો ખીચડી-કઢી-રોટલા-ગોળ-મરચાનો મહાપ્રસાદ લઇ ભરપેટ જમી જલારામ બાપની જય જય કાર બોલાવી હતી.
ભુજ રેલ્વે સ્ટેશને કામ ધંધા માટે આવેલા ૧૫૦ થી વધુ ભુખ્યા શ્રમજીવીકોએ પણ આ મહાપ્રસાદ લીધો હતો. માનવજ્યોતનાં વાહનો જુદા-જુદા વિસ્તારોમાં જઇ અનેક ગરીબ લોકોને પ્રેમપૂર્વક જમાડયા હતા.
શહેરનાં વિવિધ વિસ્તારોમાં જલારામ જયંતિએ મહાપ્રસાદનાં કાર્યક્રમો યોજાયા હતા. વધી પડેલો મહાપ્રસાદ માનવજ્યોત સંસ્થા ભુજને આપવામાં આવતાં સંસ્થાએ આ પ્રસાદ ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે પહોંચાડ્યો હતો. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, મહેશ મારાજ, વિક્રમ રાઠી, રાહુલ રાજપુતે સંભાળી હતી.