ભુજ અને ભુજ વિસ્તારમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો મહાપ્રસાદો સાથે યોજાયા હતા. મહાપ્રસાદોની વધી પડેલી રસોઇ માનવજ્યોત સંસ્થાએ એકઠી કરી ગરીબોનાં ઝુંપડે પહોંચાડતા ૩ હજાર થી વધુ ગરીબોએ ભરપેટ જમી ગુરૂપૂર્ણિમાનો તહેવાર ઉજવ્યો હતો.
ધાણેટી, રતનાલ, કુકમા, ભગવતીધામ મંદિર, ત્રિ મંદિર, લાલન કોલેજ, ગણેશનગર તથા શહેરનાં જુદા-જુદા વિસ્તારોનાં કાર્યક્રમોનો વધી પડેલો હાપ્રસાદ માનવજ્યોત સંસ્થાએ એકઠો કરી ગરીબોનાં ઝુંપડે પહોંચાડ્યો હતો.
વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, દિપેશ શાહ, દિપેશ ભાટિયા, આનંદ રાયસોની, ચમનલાલ જીવાણી, નીરવ મોતા, અક્ષય મોતા, પ્રતાપ ઠક્કરે સંભાળી હતી.