૧૬ યુગલો પ્રભુતામાં પગલા માંડશે,સાથે જીવદયાનું કાર્ય હાથ ધરાશે
શ્રી શાંતિજિન જૈન જાગૃતિ ગ્રુપ મુંબઇ દ્વારા સમસ્ત જૈન સમાજનો ૨૮મો સમુહલગ્નોત્સવ તારીખ ૮ અને ૯ ડિસેમ્બરનાં રોજ શ્રી લીલાશા કુટીયા આદિપુર-કચ્છ મધ્યે યોજાશે. જેમાં જૈન સમાજનાં ૧૬ યુગલો લગ્નગ્રંથીથી જાડાશે.
ગ્રુપ અધ્યક્ષ શ્રી જયેશ જૈન તથા ઉપાધ્યક્ષ શ્રી ગોવિંદજી પટેલ તથા પ્રવિણ લોડાયાના જણાવ્યા મુજબ આજે મોંઘવારીનાં યુગમાં સમાજનાં પરિવારો ખોટા ખર્ચાથી બચે તેવા ઉદેશ સાથે ગ્રુપ દ્વારા દર વર્ષે ડીસેમ્બર માસમાં કચ્છમાં સમુહલગ્નનું આયોજન કરવામાં આવે છે. જેમાં સમાજનાં
પરિવારો હોંશે હોંશે જાડાય છે.
ગ્રુપ દ્વારા અગાઉ ૨૭ જેટલા સમુહલગ્નો કચ્છનાં વિવિધ સ્થળોએ ઉજવાઇ ચૂકયા છે. વિવિધ દાતાશ્રીઓનાં સાથ-સહકાર અને સહયોગથી આ આયોજન સફળતાપૂર્વક પાર પડાય છે.સમુહલગ્નોત્સવ પ્રસંગે જીવદયાનું પણ કાર્ય હાથ ધરાશે.
૨૮માં સમુહલગ્નનાં મુખ્ય દાતાશ્રીનો લાભ માતુશ્રી લક્ષ્મીબેન શાંતિલાલ કુંવરજી ધરમશી (અરિહંત કારર્સ) સુથરી-મુલુંડ, માતુશ્રી કંચનબેન (દિપાલીબેન) ગુલાબચંદ ત્રિકમજી નાગડા-રંગપુર-મુલુંડ, માતુશ્રી વાલબાઇ જેઠાભાઇ લોડાયા પરિવાર- જખૌ-મુંબઇ, પુનાવાલાએ જ્યારે સહયોગી દાતાશ્રીનો લાભ માતુશ્રી દમયંતીબેન ચીમનલાલ નાગડા- નલિયા-મુલુંડ, માતુશ્રી વાસંતીબેન નવીનચંદ્ર નરશી ખોના -નલિયા-ઘાટકોપર, માતુશ્રી નવલબેન દામજી મોતા હ. દિવ્યા નિલેશ મોતા- નલિયા-ડોંબીવલી, માતુશ્રી ધનબાઇ પ્રેમજી શાહ હ. તેજલ રાજેશ લોડાયા-મોટી સિંઘોડી-વડાલા, માતુશ્રી ગોમાબાઇ હેમરાજ લોડાયા હ. જયશ્રી ઉત્તમ લોડાયા (કિંજલ બ્યુટી પાર્લર)-મોટી ખાવડી-ઘાટકોપર, માતુશ્રી તેજબાઇ વિસનજી છેડા – સુથરી ડોંબીવલી, માતુશ્રી કાંતાબેન રમેશ જેતશી ધુલ્લા-તેરા-ડોંબીવલી, શ્રી મોતીચંદ લાલજી ખોના – નલિયા- મુલુંડ, શ્રી જ્ઞાનેશ ચીમનલાલ ડાઘા-વરાડીયા પુના, એક સદ્ગૃહસ્થ પરિવાર-મુંબઇ તથા અન્ય દાતાશ્રીઓએ લીધેલ છે.
તા. ૮ નાં સવારે ૭ કલાકે જાનૈયા-માનૈયાઓનું સ્વાગત,સવાર નાં ૯ કલાકે શ્રી મુનિસુવ્રત સ્વામી મહાપૂજન, બપોરે ૨ વાગે મહાકાળી માતાજીની ભાવના, રાત્રે સમૂહ દાંડીયારાસ તા. ૯ નાં સવારે ૭-૧૫ વાગે કન્યાદાન પ્રદર્શન ઉદ્ઘાટન ૮ વાગે વરરાજાઓનો વરઘોડો, ૧૦.૧૫ વાગે હસ્તમેળાપ ૧૨.૩૯ વાગે સત્કાર અને અભિવાદન સમારોહ તથા બપોરે ૩-૩૦ વાગે કન્યા વિદાય કાર્યક્રમો યોજાયા છે. કન્યાદાનના મુખ્ય દાતા શેઠ શ્રી ભવાનજી અરજણ ખીમજી હ. શેઠ શ્રી હંસ બી. ખીમજી -તેરા માટુંગા, જયારે કન્યાદાનના સહયોગી દાતાશ્રીઓ માતુશ્રી રસીલાબેન માણેકજી લોડાયા પરિવાર હ. પ્રિયાંશી, દેવાંશી, પ્રિસા જયેશ લોડાયા-સાંધવ, માતુશ્રી લક્ષ્મીબેન જયંતિલાલ હંસરાજ ખોના (પટેલ) પરિવાર- મોટી ખાવડી, માતુશ્રી કુંવરબાઇ ભવાનજી સોની હ. જયંત સોની – જાય ગ્રુપ (સુથરી-જુહુ), માતુશ્રી મધુબેન કુલીનકાંત નાગડા-તેરા-નાંદેડ રહેશે.
સત્કાર અને અભિવાદન સમારોહનું મુખ્ય અતિથિવિશેષ પદ શ્રી સુનીલજી સિંઘી (સદસ્ય રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગ-ભારત સરકાર), જયારે અતિથિ વિશેષ પદ શેઠ શેઠ શ્રી હંસ બી. ખીમજી- માટુંગા (દાનવીર દાતાશ્રી), સમસ્ત મહાજન સેક્રેટરી જનરલ શ્રી નિશિથભાઇ દંડ, મુંબઇ મહાજનના અધ્યક્ષ શ્રી કલ્પેશભાઇ મોતા, શ્રી સુંદરજી મુલજી શાહ-સણોસરા-મુંબઇ (સમાજ સેવક), શેઠ શ્રી તરૂણ રતનશી લોડાયા-પુના (સમાજ સેવક), શ્રી મહેન્દ્રભાઇ ભાણજી પાસડ, શ્રી તિલકચંદ જયંતિલાલ ખોના (પશ્ચિમ એકમના પ્રમુખશ્રી મોટી-ખાવડી), લતાબેન મણીકાંત મોમાયા-હૈદ્રાબાદ (પ્રમુખ દ. ભારત કે.ડી.ઓ. જૈન એકમ મહિલા મંચ) જેવા સમાજ શ્રેષ્ઠિવર્યો શોભાવશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન પદ રાજ્ય મંત્રી શ્રી વાસણભાઇ આહિર, સાંસદ સભ્ય શ્રી વિનોદભાઇ ચાવડા, જીલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી લક્ષ્મણસિંહ સોઢા, પૂર્વ રાજ્યમંત્રી શ્રી તારાચંદભાઇ છેડા, ધારાસભ્યો ડો. નિમાબેન આચાર્ય, માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, તથા મહાનુભાવો શોભાવશે.
લીલાશા કુટીયા મધ્યે સમુહલગ્ન ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. શ્રી શાંતિજિન જૈન જાગૃતિ ગ્રુપના મંત્રી શ્રી કિરણ દંડ, પ્રબોધ મુનવર,અરવિંદ લોડાયા, વિપુલ પટેલ, ભદ્રીક મૈશેરી, પ્રવિણ મોતા, વિરચંદ ખોના, સોમચંદ નાગડા તથા સર્વે કાર્યકર ભાઇ- બહેનો સમુહલગ્નોત્સને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.