માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભુજ વિસ્તારમાં ભૂંગા-ઝુંપડામાં રહેતા ૧૦૧ પરિવારોનાં બાળકોને દિપાવલીદિને નવા સુટ પહેરાવાયા હતા. નાના ભૂલકાંઓ અને બાળકો એ ખુશી વ્યક્ત કરી દિપાવલી અને નવા વર્ષની ઉજવણીમાં જોડાયા હતા. આ બાળકોને કિશોરસિંહ દાનુભા જાડેજા ખેડોઇ હાલે ભુજનાં સહયોગથી મિષ્ટાન-ફરસાણનાં બોક્ષ અર્પણ કરાયા હતા. માનવજ્યોત દ્વારા શહેરનાં જુદા-જુદાં વિસ્તારોમાં જઇ બાળકોને નવા-સૂટમાં સજ્જ કરાયા હતા. વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, સલીમ લોટા, તથા કાર્યકરોએ સંભાળી હતી.