યુ.એસ.એ. સ્થિત ભુજપુર-કચ્છનાં દાતાશ્રી રમેશભાઇ મગનલાલ દેઢીયા પરિવાર દ્વારા ભુજની વિવિધ સંસ્થાઓનાં સ્ટાફ- કર્મચારીઓને રોકડ-મીઠાઇ-ફરસાણ અર્પણ કરવામાં આવતાં આવા પરિવારોએ પણ દિપાવલી પર્વે ખુશી મનાવી હતી.

માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં સ્ટાફ સર્વેને આ દાતશ્રી દ્વારા રૂા. ૧૦૦૦ રોકડા કવર, અડધો કિલો કાજુ કતરી તથા અડધો કિલો ફરસાણ અર્પણ કરાયું હતું.

વ્યવસ્થા વિનોદભાઇ પીઠડીયા, કિરણભાઇ ગોસ્વામી, મધુભાઇ ભાદરકા એ સંભાળી હતી. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોનીએ દાતા પરિવારનો આભાર માન્યો હતો.