જન્મદિનની અનોખી ઉજવણી કરાઇ

કોરોના વાયરસનાં કારણે ઉભા થયેલા સંકટનાં કારણે દરેક પ્રવૃત્તિઓ અને ઉજવણીઓમાં પણ ફેર બદલાવ જોવા ળ્યો છે. અનેક વિધ લોકો અને પરિવારો સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરા પાડતા રહે છે. 

જ્યોતિબેન મુકેશભાઈ ભટ્ટ નલીયા હાલે ભુજ તથા દિપ જયેશ છેડા કાંડાગરા હાલે ભુજ દ્વારા જન્મદિવસે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને ત્રણે ટાઈમનું ભોજન કરાવી અનોખી ઉજવણી કરાઈ હતી. માનસિક દિવ્યાંગોએ ત્રણે ટાઇમ ભોજનથાળ જમી ખુશી વ્યક્ત કરી અંતરનાં આશીર્વાદ પાઠવ્યા હતા. માનવજ્યોત સંસ્થા વતી પ્રબોધ મુનવર તથા સુરેશભાઈ માહેશ્વરીએ આભાર વ્યક્ત કર્યો હતો.